કૃષ્ણ ભજનીય છે.

0
13

કૃષ્ણને નવનીત અને નવ નીત પસંદ છે.

કૃષ્ણ જેલમાં અને જળમાં પણ જન્મ્યો છે.

બુદ્ધપુરુષનો સંકેત સમજી જાય એ ક્યારેય ફરિયાદ નહીં કરે.

કર્તવ્ય કર્મ કરવામાં હરિ ભુલાઈ જાય એ ખોટનો ધંધો છે.

પ્રયત્ન કરે એ જ સાધક છે,પ્રમાદી સાધક ન હોઈ શકે.

કર્ણાટકની ઐતિહાસિક-ધાર્મિક નગરી ઉડુપી જ્યાં બાપુની રામકથાનો ગુરુવારનો ત્રીજો દિવસ. જન્માષ્ટમીની પૂર્વ સવારે વૃંદાવન બિહારી, દ્વારિકાધીશ,શ્રીનાથજી બાવા,શામળાજી,ડાકોર વાળા અને ઉડુપી વાળાને પ્રણામ કરીને બાપુ કહે ખૂબ સારું લાગે છે!કાલે કૃષ્ણ જન્મ છે.રતિના પતિ કામને અશરીરી બનાવ્યો ત્યારે શિવ સંકલ્પમાત્રથી એને જીવંત કરી શકતા હતા.કંઈ પણ કરી શકતા હતા.પણ કૃષ્ણ અવતાર સુધીની લાંબી મુદત કેમ નાંખી?શિવ ત્રિભુવનગુરુ છે,રતિ ત્રિભુવન ગુરુનો સંકેત સમજી ગઈ.જે પણ ત્રિભુવનગુરુ,બુદ્ધ પુરુષનો સંકેત સમજી જાય એ ક્યારેય ફરિયાદ નહીં કરે.શું સંકેત હશે?એ જ કે આજ સુધી રતિ!તે કામને ભજ્યો છે,રામને ભજ્યો જ નથી.હું જેને ભજુ છું,તું પણ એને ભજ!એટલે આટલો સમય આપું છું.રામ નામ જપનાર ને ક્યારે કામ નહીં મળે એવું નથી,શુદ્ધ બુદ્ધ કામ મળશે.આ સંકેત હશે કે તું હરિ ભજ તેથી ફરી તેને કામ-દેહનાં રૂપમાં પ્રાપ્ત થશે.ભૌતિક કર્તવ્ય કરવામાં એ હરિને ભૂલી ગઈ છે.કર્તવ્ય કર્મ કરવામાં હરિ ભુલાઈ જાય એ ખોટનો ધંધો છે.આ દંડ નહીં અનુગ્રહ હતો.કામ તો શું પરમપદ મળશે.

ચિંતકોએ કહ્યું છે,જોકે પ્રમાણ નથી મળતું,પણ કામદેવને બે પત્ની હતી.એક રતિ,બીજી પ્રીતિ.રતિ કામ સાથે જોડાઈ રહે અને પ્રીતિ વાળો પક્ષ રામ સાથે જોડાય.આપણા માટે આ ખૂબ મોટી શિક્ષા છે. સદા ભજન કરતા રહેવાથી પરમપદ મળે છે. ત્રિભુવન ગુરુનો સંકેત સમજીને રતિ ચાલી ગઈ.

ગુરુ દ્રોણ અને એકલવ્ય વાળો પ્રસંગ ઉઠાવી પૂછાયેલું ત્યારે બાપુએ કહ્યું કે ગુરુ દ્રોણને ગુરુ શબ્દ લાગ્યો છે,ગુરુપણાને કેટલો ન્યાય અપાયો એ વિશે હું નહીં કહું.એકલવ્યનો અધિકાર ન હતો કે પાત્રતા ન હતી એવું નથી.વેદનો એક મંત્ર હું આપને કહીશ જેમાં કહે છે કે કોઈક વિદ્યાઓમાં અધિકાર અમુક લોકોને નથી-એવું ક્યારેય વેદએ કહ્યું નથી. જવાબદારી સાથે કહું છું કે વેદે આવું નથી કહ્યું. શ્રુતિએ ક્યારેય નથી કહ્યું,સ્મૃતિએ કહ્યું છે.જે શબ્દ હું ક્યારેય બોલતો નથી,આજ સુધી નથી બોલતો એ શબ્દ લઇને શ્રુતિ કહે છે કે અધિકાર છે.પરમાત્મા બધાનો બાપ છે તો એની વિદ્યા ઉપર બધાનો અધિકાર છે.શ્રુતિ મા છે એ બધાને અધિકાર આપે છે.

પણ નિર્ણય કરવા માટે ચાર વસ્તુને પરખો:બુદ્ધિ, વિવેકથી પરખો.ઇષ્ટ તર્ક કરો પણ દુષ્ટ તર્ક ના કરો. પરમ તત્વ બુદ્ધિની બહાર છે છતાં પણ પરમાત્માએ જ બુદ્ધિ આપી છે,શિવ એને પ્રેરિત કરે છે.શાસ્ત્રને પ્રમાણ માનો.અનુભવીઓને પૂછો.કબીર,નાનક, રામકૃષ્ણદેવ,મીરાંને પૂછો!ગુજરાતી હોવ તો નરસિંહ મહેતાને પૂછો! ઠેઠ ગામડાના હો તો ગંગાસતીને પૂછો અને ક્યાંયથી સરખો જવાબ ન મળે તો અંતઃકરણની પ્રવૃત્તિ જ પ્રમાણ છે.

ગુરુ દ્રોણે અધિકાર નહીં જોયો હોય.પાંડવોને લઈ દ્રોણાચાર્ય શા માટે આ જંગલમાં ગયા?એને ખબર હશે કે કોઈક મારી પ્રતિમા લઇને બેઠું છે.જે માણસ પ્રયત્ન કરે એ જ સાધક છે,પ્રમાદી સાધક ન હોઈ શકે.ગુરુને લાગ્યું હશે કે હવે દીક્ષાંત પ્રવચનનો સમય આવી ગયો.છેલ્લી પરીક્ષા બાકી છે.અને પ્રશ્નપત્રનાં રૂપમાં ભસતો કૂતરો આવ્યો છે.ખાનદાની ક્યારેય ઉધાર નથી મળતી કે દુકાનોમાં વેચાતી નથી.

કૃષ્ણ પણ ગોકુળ છોડ્યા પછી બધાને યાદ કરતો જ હશે.એ વધારે યાદ કરતો હોય.મોટાની જવાબદારી વધારે મોટી હોય છે.એ એકવાર ગયો પછી ક્યારેય પાછો ન આવ્યો,ગોપીઓ પણ ન ગઈ.કારણ કે આજ્ઞા હતી-હું આવીશ.એની સામે જગત આખાનું કાર્ય હતું.કૃષ્ણ ભજનીય છે.ભજવા યોગ્ય છે.કૃષ્ણને નવનીત અને નવ નીત(નિત નૂતન)ગમે છે.કૃષ્ણ જેલમાં અને જળમાં પણ જન્મ્યો છે.

મારા ત્રિભુવન દાદા બહુ ઓછું બોલતા હતા.પણ ક્યારેક એ બોલતા ત્યારે હે હરિ!-કહેતા.પ્રભુદાસ બાપુ હે ગોવિંદ!-એવું બોલતા.

કૃષ્ણ આવ્યો,રડ્યો ત્યારે યશોદા જાગી છે.આપણી જીભ યશોદા છે,એ પણ સુતેલી છે.બલરામ,કૃષ્ણ આપણી જીભ પર નામ બનીને બેસે ત્યારે એ જાગશે વિદેશોમાં જેને હિપ્નોટાઈઝનું નામ અપાય છે તે ૯૦ ટકા બીમારીઓ(કૃષ્ણ)નામથી જ જશે,૧૦ ટકા જ દવાથી જશે.હરિનામ રત્ન છે,પણ એને પારખવા માટે ઝવેરી જોઈએ,સદગુરુ એ ઝવેરી છે.ગુરુ પાસે બેસવું અડસઠ તીરથ છે.

કૃષ્ણ જન્મની પૂર્વ સવારે કથા મંડપમાં અને વ્યાસપીઠ પર સતત રાસ ગવાતો રહ્યો.

Box

કૃષ્ણના જીવન સાથે આઠ પ્રસંગો જોડાયેલા છે. એક છે:જન્મોત્સવ-મથુરાની જેલથી લઈ અને ગોકુળનાં નંદોત્સવ સુધીનો આખો પ્રસંગ.

બીજો:એની બાળલીલાઓ-બાળલીલા એ ‘બચપના’ નો’તું.છપ્પન ભોગ ખાનારો એને પચાવી જાણતો હતો.

ત્રીજો:વૃંદાવનની રાસલીલા-આવો રાસ ન થયો છે,નહિ થાય! કારણ કે આજે પણ ચાલી રહ્યો છે. ચોથો પ્રસંગ:મથુરા લીલા-અક્રૂર ક્રૂર ન હતો,પણ કૃષ્ણનો સંકેત હતો કે થોડો સમય તું ક્રૂર થઈ જા. મારી સામે વિશ્વની સમસ્ત ઘટનાઓ મંડરાઇ રહી છે પાંચમો:દ્વારકાની લીલા-દ્વારિકાની અટારી પર રોજ સાંજે કૃષ્ણ સૂર્યાસ્ત જોતો હશે.રડાવી દેતી લીલા.

છઠ્ઠુો:હસ્તિનાપુરની લીલા-કૃષ્ણ ખૂબ યાદ કરતો હોય એટલે આપણે એને થોડોક યાદ કરી શકીએ છીએ.શકુની સૌથી ખતરનાક પાત્ર હતું.શકુનીનો મતલબ રાત્રી અને એના પુત્રનું નામ ઉલૂક(ઘૂવડ) લખાયું છે.

સાતમો:કુરુક્ષેત્રની લીલા-કૃષ્ણએ જાણે ગીતા બોલી નથી,મૌનમાં કહેવાઇ છે.અર્જુનની ક્ષમતા હતી કે બુદ્ધપુરુષનું મૌન સમજી શકે.મારો ગોવિંદ હિંસક ન હતો,એના જેવો અહિંસક કોઈ નથી.એ શિકારી ન હતો,શિકારીનો ખુદ ભોગ બનેલો હતો.

આઠમો:દેહોત્સર્ગ લીલા-સોમનાથ પાસે પ્રાચીનાં પીપળા નીચે આ લીલા થઈ.

== સમાપ્ત ==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here