યુથ એમ્બેસેડર વિદિત શર્માએ B.J. મેડિકલ કોલેજ ખાતે “No to Drugs | No to Suicide” સંદેશ સાથે માનસિક આરોગ્ય જાગૃતિ અભિયાનને નવી દિશા આપી

0
14

અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | “માઇન્ડ સ્ટ્રોંગ ગુજરાત” અંતર્ગત આજે B.J. મેડિકલ કોલેજ, અમદાવાદ ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સત્ર યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્મા દ્વારા આયોજિત 37મું કોલેજ/યુનિવર્સિટી સત્ર હતું.

આ કાર્યક્રમનું આયોજન ડીન મેડમ ડૉ. મીનાક્ષી પરીખ, ડીન – B.J. મેડિકલ કોલેજ તથા હેડ – સાયકિયાટ્રી વિભાગના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય સંદેશ હતો:

“No to Drugs | No to Suicide | Mental Well Being | Journey Towards Life”

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, ફેકલ્ટી સભ્યો અને રેસિડેન્ટ ડૉક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

શ્રી વિદિત શર્માએ યુવાનોમાં માનસિક આરોગ્ય અંગે ખુલ્લી ચર્ચા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને નશામુક્ત તથા માનસિક રીતે મજબૂત સમાજ બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી.

16 મેના રોજ પોતાના પ્રિય નાના શ્રી રવિન્દ્ર કુમાર શર્મા જીના નિધન છતાં, શ્રી વિદિત શર્માએ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોક વ્યક્ત કર્યા બાદ યુવાનો માટેનું આ જાગૃતિ સત્ર રદ ન કર્યું અને પોતાની જવાબદારી નિભાવી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. પારસ, પ્રોફેસર – એનાટોમિ વિભાગ તથા ટીમ એનાટોમિ રેસિડેન્ટ્સનો વિશેષ સહકાર રહ્યો.

માઇન્ડ સ્ટ્રોંગ ગુજરાત દ્વારા અત્યાર સુધીમાં 37 કોલેજ/યુનિવર્સિટીમાં કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે અને 10 લાખથી વધુ યુવાનો સુધી પહોંચ બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here