QS I-GAUGE ની ભારતીય શિક્ષણમાં AI પર રાષ્ટ્રીય શિખર પરિષદમાં જવાબદારીપૂર્વક અને ગુણવત્તા આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવા પર ભાર

0
10

શિક્ષણ ક્ષેત્રના નેતાઓ, નીતિ-નિર્માતાઓ અને ટેક્નોલોજી નિષ્ણાતોએ AI માટેની તૈયારી, ગવર્નન્સ, શૈક્ષણિક અખંડિતતા અને ભારતમાં શિક્ષણના ભવિષ્ય અંગે ચર્ચા કરી

ગાંધીનગર, ગુજરાત | ૨૧મી ઓગસ્ટ ૨૦૨૬ | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયા અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનની રીતોમાં સતત પરિવર્તન લાવી રહ્યું છે. આવા સમયે QS I-GAUGE દ્વારા આયોજિત National Summit on AI in Indian Education માં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો એક મંચ પર એકત્ર થયા અને ઉચ્ચ શિક્ષણ તેમજ K-12 શિક્ષણમાં ગુણવત્તા આધારિત અને જવાબદાર રીતે AI અપનાવવા અંગે ચર્ચા કરી. QS I-GAUGE ભારતની વિશ્વસનીય અને સ્વતંત્ર શૈક્ષણિક સંસ્થા રેટિંગ અને મૂલ્યાંકન પ્રણાલી છે.

આ શિખર પરિષદમાં ચર્ચા માત્ર શૈક્ષણિક સંસ્થાઓએ AI અપનાવવું જોઈએ કે નહીં તે પ્રશ્ન પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ AIને જવાબદારીપૂર્વક, નૈતિક રીતે અને અર્થપૂર્ણ શૈક્ષણિક હેતુઓ સાથે કેવી રીતે એકીકૃત કરી શકાય તેના પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

‘Advancing Responsible AI for Access, Equity and Excellence’ વિષય હેઠળ યોજાયેલી આ બે દિવસીય રાષ્ટ્રીય શિખર પરિષદમાં વરિષ્ઠ શિક્ષણવિદો, શિક્ષણ નિષ્ણાતો, શાળાના નેતાઓ, નીતિ-નિર્માતાઓ, ટેક્નોલોજી નિષ્ણાતો, ગુણવત્તા ખાતરી નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ભાગ લીધો. શિક્ષણ ક્ષેત્રમાં AIના વધતા ઉપયોગથી ઊભી થતી તકો અને પડકારો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા પ્રથમ દિવસે યોજાયેલા સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “AIને અપનાવવાની પ્રક્રિયા નૈતિક અને સર્વસમાવેશક હોવી જોઈએ. જીવનના દરેક ક્ષેત્રની જેમ અહીં પણ પડકારો અને તકો સાથે-સાથે આવે છે. આગળ વધતાં આપણા શાળાઓ અને કોલેજોના અભ્યાસક્રમના માળખામાં ડિજિટલ અને AI સાક્ષરતાને સ્થાન મળવું જોઈએ. વિદ્યાર્થીઓને વધુ સશક્ત અભ્યાસક્રમ દ્વારા AI ટૂલ્સ અપનાવવા સક્ષમ બનાવીને આપણે સૌએ AI-પ્રથમ ભવિષ્ય માટે તૈયાર થવું જોઈએ.”

ભારત તેની AI યાત્રાના નિર્ણાયક તબક્કામાં છે, ત્યારે શિખર પરિષદમાં થયેલી ચર્ચાઓનું વિશેષ મહત્વ છે. ભારત સરકારના IndiaAI Mission માટે 10,372 કરોડની રાષ્ટ્રીય ફાળવણી કરવામાં આવી છે અને ભવિષ્ય માટે જરૂરી કૌશલ્યો પર પણ સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરિણામે શૈક્ષણિક સંસ્થાઓમાં AI આધારિત શિક્ષણ, અભ્યાસ, સંશોધન, મૂલ્યાંકન અને વહીવટની માંગ વધી રહી છે.

QS I-GAUGEના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રવિન નાયરએ જણાવ્યું હતું કે, “AI હવે શિક્ષણ માટે દૂરની સંભાવના નથી, પરંતુ તે પહેલેથી જ વર્ગખંડો, કેમ્પસ અને સંસ્થાકીય નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યું છે. હવે પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે AIને અપનાવવાની પ્રક્રિયા હેતુ, જવાબદારી અને માપી શકાય તેવા શૈક્ષણિક પરિણામો દ્વારા માર્ગદર્શિત થાય. સંસ્થાઓએ માત્ર AI-સક્ષમ બનવું પૂરતું નથી; તેમણે એવી રીતે AI-રેડી બનવું પડશે કે જે માનવીય ક્ષમતાઓ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને વધુ મજબૂત બનાવે.”

વ્યાપક માળખાની જરૂરિયાત

શિખર પરિષદમાંથી સામે આવેલા મુખ્ય સંદેશાઓમાંનો એક એ હતો કે માત્ર AI ટૂલ્સ સુધી પહોંચ હોવી એ સંસ્થાની AI માટેની તૈયારીનું માપદંડ બની શકે નહીં. શૈક્ષણિક સંસ્થાઓએ ગવર્નન્સ, શિક્ષકો અને ફેકલ્ટીની તૈયારી, નૈતિક ઉપયોગ, ડેટા સુરક્ષા, શૈક્ષણિક અખંડિતતા, મૂલ્યાંકન પદ્ધતિઓ, સમાવેશિતા અને માપી શકાય તેવી અસર જેવા પાસાઓને આવરી લેતા વ્યાપક માળખાં વિકસાવવાની જરૂર છે.

QS Indiaના ચેરમેન અને QS Quacquarelli Symonds ના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. અશ્વિન ફર્નાન્ડિસએ જણાવ્યું હતું કે, “શિક્ષણમાં AIનું ભવિષ્ય માત્ર એલ્ગોરિધમ્સ દ્વારા નક્કી નહીં થાય, પરંતુ તેના ઉપયોગને નિયંત્રિત કરતા માળખાઓ દ્વારા નક્કી થશે. શિક્ષકોને AIનો અસરકારક ઉપયોગ કરવા માટે સશક્ત બનાવવાની જરૂર છે અને AIને દરેક વિદ્યાર્થી માટે અસરકારક બનાવવા માટે તેમને જરૂરી કૌશલ્ય અને સહયોગ આપવો જરૂરી છે. શિક્ષકોની તૈયારી એક મહત્વપૂર્ણ પાસું છે અને ત્યાર બાદ જ AI અર્થપૂર્ણ શિક્ષણ માટે એક શક્તિશાળી માધ્યમ બની શકે છે.”

ભાગ લેનારોએ એ જરૂરિયાત પર પણ ચર્ચા કરી કે સંસ્થાઓએ વિખરાયેલા અથવા તાત્કાલિક ધોરણે ટેક્નોલોજી અપનાવવાને બદલે પોતાના શૈક્ષણિક હેતુઓ અને ગુણવત્તા માળખા સાથે સુસંગત વ્યવસ્થિત AI વ્યૂહરચનાઓ વિકસાવવી જોઈએ.

ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં સંસ્થાકીય AI નીતિઓ અને ગવર્નન્સ માળખાં વિકસાવવાં, Generative AI ના યુગમાં મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિઓનું પુનઃડિઝાઇન, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના ડેટા તથા ડિજિટલ અધિકારોનું રક્ષણ અને AI સાથે અસરકારક રીતે કામ કરવા માટે શિક્ષકો તથા ફેકલ્ટીની ક્ષમતાને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.

શિખર પરિષદમાં સંશોધન અને જ્ઞાન નિર્માણમાં AIની વધતી ભૂમિકા અંગે પણ ચર્ચા થઈ. ભાગ લેનારોએ પારદર્શિતા, યોગ્ય શ્રેય, સંશોધનની અખંડિતતા અને AI દ્વારા નિર્મિત સામગ્રીના જવાબદાર ઉપયોગના મહત્વ પર ભાર મૂક્યો.

K-12 શિક્ષણ: બાળકોની સુરક્ષા સાથે AI-રેડી શાળાઓનું નિર્માણ

પરિષદના બીજા દિવસે શાળા શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમાં બાળકો અને યુવા વિદ્યાર્થીઓ માટે AIનો ઉપયોગ શરૂ કરવાથી ઊભી થતી વિશિષ્ટ તકો અને જોખમો અંગે ચર્ચા કરવામાં આવી.

ભાગ લેનારોએ ભારપૂર્વક જણાવ્યું કે શાળાઓમાં AI અપનાવવાનો અભિગમ ઉચ્ચ શિક્ષણથી અલગ હોવો જોઈએ, કારણ કે અહીં બાળકોની સુરક્ષા, વયને અનુરૂપ ટેક્નોલોજી, ડેટા ગોપનીયતા, શિક્ષકોની તૈયારી, વાલીઓનો વિશ્વાસ અને માનવીય દેખરેખ જેવા મુદ્દાઓનું વિશેષ મહત્વ છે.

ચર્ચામાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો કે AIના ઉપયોગથી બાળકોની સ્વતંત્ર વિચારશક્તિ, સર્જનાત્મકતા, સામાજિક સંવાદિતા અથવા તેમના સુખાકારી પર નકારાત્મક અસર ન થવી જોઈએ.

શિખર પરિષદમાં AIની વિવિધ સ્તરની પરિપક્વતા ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને સહાય કરી શકે તેવા વ્યવહારુ માળખાં વિકસાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ, સરકાર, ટેક્નોલોજી કંપનીઓ, ગુણવત્તા ખાતરી સંસ્થાઓ અને શિક્ષકો વચ્ચે વધુ સહયોગ ની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો.

ઉચ્ચ શિક્ષણ અને શાળા શિક્ષણમાં શ્રેષ્ઠતાને માન્યતા આપતાં 91 શૈક્ષણિક સંસ્થાઓને QS I-GAUGE રેટિંગ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ સંસ્થાઓએ શૈક્ષણિક ગુણવત્તા અને શિક્ષણના ધોરણોને લગતા કડક માપદંડોને પૂર્ણ કર્યા છે.

== સમાપ્ત ==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here