વિશ્વ વિખ્યાત પવિત્ર જૈન સ્થાનની તીર્થભૂમિ પાલીતાણાનાં આંગણે પાંચ દશક બાદ મોરારિબાપુની રામકથાનો દિવ્ય આરંભ

0
32

હરિ ઈચ્છા બળવાન છે,પરમાત્માની ઈચ્છા હોય એ રીતે જ ઘટના ઘટે.

હરિની ઇચ્છા હોય એમ જ ભાવિ બળવાન કે નિર્બળ બને છે-એ નિયતિ છે.

પંચદેવોની જે નિંદા કરે એનો સંગ ન કરવો,એને ત્યાં દીકરી ન આપવી.

જેની પહેલી ગુરુ નારી હોય એ નારી નિંદક કેમ હોય!

સાધુ સમાજની ઔષધિ છે.

 

બીજ પંક્તિઓ:

હરિ ઇચ્છા ભાવી બલવાના;

હ્રદયબિચારતસંભુસુજાના

તબ સંકર પ્રભુ પદ સિરુનાવા;

સુમિરતરામુહ્રદયઅસ આવા

એહિ તન સતિહિ ભેટ મોહિ નાહીં;

સિવસંકલ્પુકીન્હ મન માહીં

-બાલકાંડ

આ બીજ પંક્તિઓનો આશ્રય લઇને

વિશ્વવિખ્યાત પવિત્ર જૈન સ્થાનની તીર્થભૂમિ પાલીતાણાના આંગણે રામચરિતમાનસની વ્યાસપીઠ લઈને શનિવારથી બાપુની કથાક્રમની ૯૭૬ મી કથાનો અહીં કૈલાશ ટેકરી,સગાપરા ધાર અને જડેશ્વર મહાદેવ મંદિર તેમજ શ્રી લાલગિરિ બાપુ ગુરુ શ્રી વિજયગિરિ બાપુની પાવન નિશ્રામાં આરંભ થયો.

આરંભે સંતો-મહંતો,રાજકીય આગેવાનોનાં હસ્તે દીપ પ્રાગટ્ય અને શ્રી લાલગિરિ બાપુ દ્વારા સ્વાગત પ્રવચન થયું.

બીજ પંક્તિઓ તથા કથા નામકરણ પૂર્વભૂમિકા સમજાવતા પચાસ વરસ પછી કથાને લઈ આવવાનું થયું એની પ્રસન્નતા વ્યક્ત કરીને જણાવ્યું કે હરિ ઈચ્છા બળવાન છે.પરમાત્માની ઈચ્છા હોય એ રીતે જ ઘટના ઘટે.

પહેલા દોશી પરિવારના યજમાન પદ નીચે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ,અન્ય ધર્મો અને સનાતન ધર્મનો એક-એક મંત્ર લઇને ‘માનસ નવકાર મંત્ર’ પર કથા કરવાની ઘોષણા કરેલી.બે વિચારધારા વચ્ચે સંવાદ જ થવો જોઈએ.પરંતુલાલગિરિ બાપુનો શિવ સંકલ્પ પૂરો થયો.ધર્મ સંવાદ જગતમાં બહુ જરૂરી છે.

અહીં સનાતન ધર્મનાં અનેક સ્થાનો કાશી ઉજ્જૈનનાભૈરવનાથબિરાજેછે.વૈષ્ણવ સાધુ સમાજનાં પણ ઘણા સ્થાનો છે.

સમરસતાથી એવું નક્કી થયું કે શિવ સંકલ્પ પર કથા કરીશું.ફરી ક્યારેક કોઈ જૈન તીર્થમાં’માનસ નવકાર મંત્ર’ પર સંવાદ કરીશું.

રામચરિતમાનસનાં દરેક કાંડમાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ સંકલ્પો અને વિકલ્પોની વાત છે.શિવ સંકલ્પ વૈદિક શબ્દ છે.હરિની ઇચ્છા હોય એમ જ ભાવિ બળવાન કે નિર્બળ બને છે,જેને આપણે નિયતિ કહીએ છીએ.

કથાની સાથે ઘણા પ્રકલ્પોછે.પણ કથાનો આધ્યાત્મિક મુદ્દો કેન્દ્રમાં રહેવો જોઈએ.મૂળ વાત આ રામકથા છે.

એ પ્રસંગ જ્યાં શિવ અને સતી કુંભજનાં આશ્રમથી કથા સાંભળીને આવે છે-એમાંથી ત્રણ પંક્તિઓ લીધેલી છે.

ગ્રંથ માહાત્મ્ય સમજાવતાતુલસીદાસજીનુંરામચરિત માનસ,તેના સાત સોપાનો,પ્રથમ સોપાનના સાત મંત્રો,મંગલાચરણ તથા પંચદેવોની પૂજા વિશે વાત કરતા કહ્યું કે આ પંચદેવોની જે નિંદા કરે એનો સંગ ન કરવો,એને ત્યાં દીકરી ન આપવી.

તુલસી વિશે એક ભ્રમણા બાંધેલી છે કે તુલસી નારી નિંદક છે.પણ તુલસી નારી નીંદક કેમ હોય?તેની પ્રથમ ગુરુ એક નારી-એટલે કે એની પત્ની છે-એ પછી પહેલા ભવાનીનીવંદના કરી પછી શિવનીવંદના કરી છે.શ્રદ્ધાના રૂપમાં પણ પહેલા નારીનીવંદના કરી છે.એ પછી સોરઠા અને ચોપાઈ દ્વારા લોકબોલીમાં વિવિધ વંદનાઓ કરતા-કરતાં બ્રાહ્મણોનીવંદના બાદ સાધુ વંદના કરતા જણાવ્યું કે સાધુ સમાજની ઔષધિ છે.ગુરુવંદના પછી હનુમાનજીનીવંદનાનું ગાયન કરી આજની કથાને વિરામ અપાયો.

કથા વિશેષ:

૪૮ વરસ પછી પાલિતાણામાંકથાગાન

પાલિતાણાનાસગાપરાની ધારે આવેલ સ્વયંભૂ ભગવાન જડેશ્વરમહાદેવનાસાન્નિધ્યમાંકથાગાન

બ્રહ્મલીનસંતશ્રીવિજયગિરિબાપુનાશિષ્યશ્રીલાલગિરિબાપુનાંસાનિધ્યમાંરામકથા.

કથાનાં નવ દિવસના નવ મનોરથી છે.

પ્રથમ દિવસે સગાપરા ગામ સમસ્તનીયજમાની છે.

કથા દરમિયાન મોરારીબાપુ ૩૬ કિમી દૂર કદમગિરિ પર સ્થિત કૈલાસ કુટિયામાં નિવાસ કરશે અને દરરોજ હેલીકોપ્ટર દ્વારા કથા મંડપમાં આવાગમન કરશે.

કથા દરમિયાન અનેક મહત્પાદ સંતો ઉપસ્થિત રહેનાર છે.જેમાં દ્વારકા શારદાપીઠાધીશ અનંત શ્રી વિભૂષિતજગતગુરુ સદાનંદ સરસ્વતીજીના શિષ્ય શ્રી નારાયણનંદજી,સંત શ્રી શેરનાથ બાપુ,

શ્રી કેશવાનંદજી-સનાતન આશ્રમ-દ્વારકા, સોહમગિરિજી-ઉજ્જૈન,ભક્તિબાપુ,સંઘમિત્રાનંદજી-વિરાયતન,મહામંડલેશ્વરપીઠાધિશ શ્રી અવધેશાનંદગિરિ મહારાજ,જૈનાચાર્ય શ્રી લોકેશમુનીજી વગેરે રાષ્ટ્રીય કક્ષાનાંસંતોનો સમાવેશ થાય છે.

કથાની સમગ્ર વ્યવસ્થા ઓશો સંન્યાસી અને વ્યવસાયે જીએસટીઓફીસર શ્રી લાલજીભાઈજોગરાણા સંભાળી રહ્યા છે.

ગામ સમસ્તના યુવાનો તેમ જ ભરત સોની,કિશોર કુકડિયા,સુરેશભાઈ ચોસલા,મનોજ જેઠવા,સુરતનાંરાકેશભાઈ વગેરે મિત્રો વ્યવસ્થા-સેવામાં જોડાયા છે.

કથા અનુષ્ઠાન દરમિયાન અનેક પ્રકલ્પોયોજાશે. જેમાં આશ્રમમાં નવનિર્મિત શ્રી ગણેશજી તેમજ શ્રી હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા,સાથે જ ૧૩ કરોડ રામમંત્રની લેખન સાધના,રામ રથયાત્રાઓ,પાલખીયાત્રાઓ સાધુ સંતોને પ્રસાદ અને કીટ વિતરણ,રામવાટિકાઓમાં વૃક્ષારોપણ થનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here