મેઘાણીજીની અશરીરી ચેતનાને સમર્પિત કથાનું ભાવભીનું સમાપન; આગામી કથા ૨૧ માર્ચથી કચ્છની પીરારી ભૂમિ માધા પરથી ગવાશે

0
20

બગહરું મેઘાણીમય બની ગયું!

મેઘાણીજીએ દ્રવ્યયજ્ઞ,જ્ઞાનયજ્ઞ, પ્રેમયજ્ઞ,તપયજ્ઞ,શૌર્યયજ્ઞ,યોગયજ્ઞ કર્યા છે.

એડવાન્સમાં રામનવમીની વધાઈ અપાઇ

બીજ પંક્તિઓ

કલિ કે કબિન્હકરઉંપરનામા;

જિન્હબરનેરઘુપતિગુનગ્રામા.

જે પ્રાકૃત કબિ પરમ સયાને;

ભાષા જિન્હહરિચરિતબખાને.

ભએ જે અહહિ જે હોઇહહિંઆગે;

પ્રનવઉસબહિ કપટ સબ ત્યાગે.

-બાલકાંડ

રાષ્ટ્રીય શાયર અને ગુજરાતી સાહિત્યનાં લગભગ બધા જ પ્રકારનું જેણે ખેડાણ કર્યું છે એવાં સંશોધક સમર્થ સાહિત્યકાર ઝવેરચંદકાલીદાસમેઘાણીની કર્મભૂમિ,પૈતૃક ભૂમિ એવા બગસરા ખાતે ચાલતી રામકથાનાં પૂર્ણાહૂતિ દિવસે બાપુએ અસ્મિતાથીસુગંધીતમાટીને પ્રણામ કરી,આ બીજ પંક્તિઓનું ગાયન કરી ગંજાવર કથા આયોજન પાછળ રહેલા તમામ નામી-અનામી લોકો તરફ પ્રસન્નતા અને મનોરથીહર્ષાબા ગોહિલ પરિવારને સાધુવાદ સાથે હરખ વ્યક્ત કર્યો.

ઉપસંહારક વાતો અને સંક્ષિપ્તમાં શેષ કથા પ્રસંગો તરફ જતાં શનિવારના સાંજે સમર્થ વક્તાઓના અભ્યાસ પૂર્ણ વક્તવ્યો,એક-એક વક્તાની સુંદર સરાહનીય નોંધ લઇને બાપુએ કહ્યું કે આપણાં બધા માટે પ્રેરણાદાયી કાર્યક્રમ તો રહ્યો જ પણ કલ્પના કરું છું કે મેઘાણીભાઈની અશરીરી ચેતના ખૂબ ખુશ થતી હશે.બગહરુંમેઘાણીમય બની ગયું છે.

મેઘાણીબાપા! એક સાધુ બોલે છે,આપ રાજી થશો.  તમારી તપસ્યાનું ફળ બગસરાની કથાએ આપ્યું છે. બાપુએ જણાવ્યું કે કામ્ય કર્મોનો ત્યાગ કરો એ ત્યાગ છે.તોગીતાજી એમ પણ કહે છે કે બધા જ કર્મોનો ત્યાગ કરો.અમુકમનીષીઓ કહે છે કર્મમાં જે જે દોષ છે એ દોષવાળા કર્મનો ત્યાગ કરો અને કૃષ્ણ કહે છે કે ત્રણ કર્મોનો ત્યાગ ક્યારેય ન કરો:યજ્ઞ,દાન અને તપનો ત્યાગ ન કરો. મેઘાણીજીએ આ ત્રણેય સાચવ્યાછે.એને સત્ય,શીલ માટે શૌર્ય યજ્ઞ કર્યો છે. મેઘાણીના અનેક યજ્ઞમાં દ્રવ્ય યજ્ઞ,જ્ઞાનયજ્ઞ,પ્રેમયજ્ઞતપયજ્ઞ,યોગયજ્ઞ વગેરે દેખાય છે.અન્યને જોઈને દ્રવીભૂત થયા એ એનો દ્રવ્યયજ્ઞ છે.

ભૂધરજીબાપામેઘાણી વિશે લખે છે કે:

સોરઠનાં સાહિત્યનો મેઘાણીએવરસાવ્યો મેઘ;

ડુંગર માંડ્યા દૂઝવા,નીર છલક્યાંનરવાં,

ધરતી થઈ ધરવાણ,તોટક છંદના તાલમાં,

મેઘાણીમઢે મલ્હાર,ચઢે આભે અંધાર…

આપ વર્ણાશ્રમ તરફ ન જતા પણ બ્રાહ્મણ આશ્રિત નું રક્ષણ શાસ્ત્રોથી કરે,ક્ષત્રિયો શસ્ત્રોથી,વૈશ્ય છત્ર બનાવીને અને સેવક સંદેશાવાહક-પત્ર બનીને રક્ષણ કરે છે.સાધુચારેય પ્રકારે રક્ષણ કરતો હોય છે.

શેષ કથામાં ચારેય બાળકોના નામકરણ,બાલચરિત્ર અને બાલકાંડ તેમજ અન્ય કાંડોનેભુશંડીજીએ સંક્ષિપ્ત રૂપમાં વર્ણવ્યાછે.જેમાં રામ વનવાસ માટેના બે વચનો પછી ભરતનું નિવેદન,ચિત્રકૂટમાં ભરત મિલાપ વખતે અવધ અને જનકપુર મળે છે.એક પછી એક કાંડને પોતાના ગાયન દ્વારા સંક્ષિપ્તમાં સમાપન તરફ લઈ જતા સુંદરકાંડમાં જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરે છે.જ્યારે કોઈ કૂળથી સમર્પણ ન થાય ત્યારે એ અપહરણનાં રસ્તે ચડે છે રામ શબરીમાં નવ પ્રકારની ભક્તિ જોઈને એ શબરીસ્તવનનું ગાન કરે છે.સીતા શોધ,લંકા દહન અને રામ રાવણનાં યુદ્ધ પછી રાવણને ગતિ આપી અયોધ્યામાં રામ રાજ્યાભિષેક થયો.કસુંબીનો રંગ પુરેપુરું ગાઇને બાપુએ કહ્યું કે નવ દિવસ આપને કસુંબીનો રંગ પાયો છે.

ચારેય ઘાટ પરથી કથાનો વિરામ થાય છે અને બાપુ વિરામ વખતે પિનાકી ભાઈ અને મેઘાણી પરિવાર તેમ જ અભેસંગભાઈ,વીરપુર જલારામબાપા પરિવાર અને તમામનાં કાર્ય માટે,કર્મ કુશળતા માટે પ્રસન્નતા પૂર્વકનોસાધુવાદ આપીને કહે છે કે રામ નવમી આવી રહી છે,એડવાન્સમાં બધાને રામ નવમીની વધાઈ.

આ કથા મેઘાણીબાપાની ચેતનાને સમર્પિત કરીને ભાવભીનું સમાપન કરવામાં આવ્યું.

આગામી-૯૭૪મી રામકથામાધાપર કચ્છની વિરારી,ધોરારી,પીરારી ધરતી પર ૨૧થી ૨૯ માર્ચ સુધી યોજાશે.જેનાંમનોરથીધીરજીમનજીડબાસિયા પરિવાર છે.

જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામતલગાજરડાયુ-ટ્યુબચેનલનાંમાધ્યમથી નિયમિત સમયે નિહાળી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here