મેઘાણીજીની રચનાઓ જોઈને લાગે કે ક્યારેક ઉપનિષદ, ક્યારેક સુભાષિત કવિને ઘરે આવે છે.

0
16

કપટ છૂટે ત્યારે પ્રણામનો મહિમા વધી જાય છે.

બાધકને ભવિષ્ય હોય,સાધકને ભૂતકાળ હોય પણ સાધુ વર્તમાનમાં જ હોય છે.

બગસરાનાં અમરેલી રોડ પરનાં વિશાળ સમિયાણામાંગુંજતીરામકથાચોથા દિવસમાં પ્રવેશી.કાલિદાસથી લઈને મેઘાણી સુધીનાં બધા જ કવિઓને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે કપટ છોડીને જો પ્રણામ કરીએ તો એ પ્રણામ એ વ્યક્તિમાં થઈને ઠેઠ પરમાત્મા સુધી પહોંચે છે.કપટ છૂટે ત્યારે પ્રણામનો મહિમા વધી જાય છે.પ્રણામ પાછળ કોઈ યોજના નથી ને એ આત્મચિંતન આપણે કરવું રહ્યું. એક કવિને જ્યારે બીજો કવિ દાદ આપે ત્યારે સમજવાનું કે હવે કળિયુગ જવામાં છે.કોઈને દાદ આપવી-બહુ અઘરું છે.

મેઘાણીરૂપીસાગરમાંરત્નોકેવાં?

રત્નોરૂપાળાભાઈ!મોંઘા મોલ વાળા,

દરિયો પે’રે નહીં મોતીડાની માળા

ઉપકારી એનો આતમા રે…

ઝાડવાં ફળ જોને નથી ખાતાં,

સરોવર પાણી જોને નથી પીતાં,

ઉપકારી એનો આતમા રે…

એવા કાગબાપુનાં વેણ મેઘાણી માટે પૂરેપૂરાઉતરે છે મેઘાણીભાઈએરવિશંકરમહારાજનાંઅનુભવોનું જે પુસ્તક તૈયાર કર્યું એ યુવાનોએ ખાસ વાંચવા જેવું છે મેઘાણીનીરચનાઓ જોઈને લાગે કે ક્યારેક ઉપનિષદ,ક્યારેક સુભાષિત કવિને ઘરે આવે છે.સંતો-ભક્તોનાં પદો સંકલિત કર્યા એમાં ગંગાસતીનો ખૂબ આદર કર્યો છે.

મેઘાણીમાં સાત વસ્તુઓ દેખાય છે એના વિશેનો સંવાદ પણ કરીશું.એમાંની એક વસ્તુ છે:ભક્તિ.ભલે તિલક,માળા કે રુદ્રાક્ષ ન રાખતા હોય પણ એણે ભીમ સાહેબ અને જીવણ સાહેબનાં પદોનું સંપાદન કર્યું છે.જે રીતે રામચરિતમાનસમાં ભજન શબ્દ ૨૪ વખત આવે છે એટલે હું કહેતો હોઉં છું કે ભજનના ૨૪ અવતાર છે.

અહીં વિનોદ જોશીની એક કવિતા-

ઠોઠ હોવા છતાં એ પહોંચ્યો ઠેઠ,

કારતકથી જ ગયો સીધો જેઠ!

-નું પાન પણ કરાવ્યું ને જણાવ્યું કે બાધકને ભવિષ્ય હોય,સાધકને ભૂતકાળ હોય પણ સાધુ વર્તમાનમાં જ હોય છે.

મેઘાણીનું સંકલન જોઈને લાગે છે કે ગીતાના સાતમા અધ્યાયના સાત મંત્રો જાણે કોઈને કોઈ પદમાં એણે સંકલિત કરેલા છે.મેઘાણીનું બીજું લક્ષણ મસ્તી છે. મન મોર બની થનગા- મસ્તી વગર ન ગવાય. મેઘાણીના’સોરઠી બહારવટિયા ભાગ-૧’ અને ‘સૌરાષ્ટ્રનીરસધાર’માં એણે લખેલી નોંધ વિશે ખાસ સંવાદ કરતા બાપુએ કહ્યું કે જોગીદાસખુમાણને એણે રત્ન રૂપે લીધા છે.રામવાળાને બધા જ બહારવટિયામાં સૌથી ચડિયાતાગણાવ્યા છે. જોગીદાસખુમાણ હોય,કાવઠીયા હોય કે હિપોખુમાણ હોય,આવા પાંચ બહારવટિયાનાં વિશેષ ઉલ્લેખોમેઘાણીસાહિત્યમાંથી મળે છે.

બહારવટિયાની કાળી અને ઉજળી બંને બાજુની નોંધ લઉં છું એમ મેઘાણીલખેછે.ઘણા જ ખુલાસા કરતી નોંધ જોઈને કવિ મેઘાણીનાં મનનું દર્પણ આરપાર દેખાય છે.આજે પણ ટીકાકારો કહે છે કે બહારવટિયા વિશે શું કામ લખ્યું?શું સમાજને બહારવટુ શીખવવું છે! ત્યારે અહીં લખાયેલી લાંબી નોંધ વાંચી જવી જોઈએ.મેઘાણીએ બિરાદરી,ખાનદાની,શિલવંત લોકોની જ વાતો લખી.

એ વખતનાંદોહાઓ,લોકોક્તિઓ અને પ્રસ્તુતિઓ નું ખૂબ બધુ સંકલન કર્યું છે અને લખ્યું કે:ભલેઐતિહાસિકતા ઓછી હોય પણ લોકોની કલ્પના ત્યાં આદર્શોને વંદન કરે છે.કોઈ બહારવટિયો નીતિમાર્ગથીલપશ્યો ત્યારે એનો નાશ થયો છે. ફીફાદનાંમુંજાવરની જગ્યા વિશે લખીને મોરલાને મારનાર પર દરગાહમાંથી શ્રાપ નીકળવાની વાત પણ મેઘાણીએ લખી છે.

જોગીદાસખુમાણને કવિ ન્હાનાલાલ જોગી બહારવટિયો કહે છે,એ ભોગી બહારવટિયો નથી. જોગીદાસ માથે ફાળિયું રાખી,ગામ તરફ પીઠ રાખીને બેસે કારણ કે ભૂલથી પણ બહેન-દીકરી ઉપર કૂનજર ન પડી જાય-આવી વાત મેઘાણીએ લખી છે.

બે બહારવટિયાનો ખાસ ઉલ્લેખ મેઘાણી કરે છે ભાવનગરનોવજેસંગ અને સાવરકુંડલાનોજોગીદાસ.જેને ત્રાજવું લઈને જાણે કે બેલેન્સ રાખ્યું છે.મેઘાણીલખે છે કે દેવતાઓની ગેબી સહાયતાની માન્યતા પણ દેખાય છે.૧૯મી સદી પૂરી થતાં છેલ્લો પ્રતિનિધિ બહારવટિયાનોરામવાળોહતો.એ પછી માત્ર ચોરી,લુંટારા,લૂંટફાટ કરનારાઓ હતા જેને બહારવટિયા ન ગણાય.૨૦મી સદીમાંબહારવટુ પૂરું થયું છે.ચોર,ડાકૂ,લૂંટારાને આ સંગ્રહમાં સ્થાન નથી એવું બેધડક મેઘાણીલખે છે ને કહે છે કે બહારવટાનો પુરોહિત,જેની છેલ્લી જ્યોત ઓલવાતો દીપ એ રામ વાળો મારા સંગ્રહનો સ્તંભ છે.

Box

સાંધ્ય કાર્યક્રમમાંથી

એક ગુરુ પાસે ત્રણ-ચાર ચેલાગયા.ગુરુ બધાને નિયમ આપે.પણ એટલા ઉદાહરણ કે પોતે નિયમ ન પાડે! એક ચેલાએ પૂછ્યું કે મારે શું કરવાનું?ગુરુ કહેતું પૂનમ રે’જે.દરપુનમે ડાકોર જવાનું,ઉઘાડા પગે જવાનું,ખાધા વગર પાછું આવવાનું! બીજાએ કહ્યું કે મારે શું રહેવાનું?ગુરુ કહે તું અમાસપાડ.તારેઅમાસરહેવાની.ત્રીજાએ કહ્યું કે મારે શું રે’વાનું?ગુરુ કહે તારે સોમવાર રેવા’નો.મૌનરાખવાનું.ચોથો ચેલો કહે મારે શું કરવાનું?ગુરુ કહે તારે શનિવાર રહેવાનો, હનુમાનજીને તેલ ચડાવવાનું.પાંચમાએ પૂછ્યું કે મારે શું રે’વાનું?ગુરુ કહે તારે ગુરુ કહે તારે સખણા રહેવાનું!!

Box

ભાવનગર નરેશને સમયસર ભારત રત્ન નહિ મળે તો પછી પસ્તાવાનું જ રહેશે:મોરારિબાપુ.

ભાવનગરની વાત નીકળતા બાપુએ કહ્યું કે ત્રણથી ચાર વખત મેં આ વાત વારંવાર કહી છે.ફરી એક વખત દોહરાવું છું કે કોઈપણ પ્રકારની ભલામણ વગર ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી-જે સાધુ ચરિત રાજવી.ભારત માતા માટે,ભારતની એકતા માટે જેણે સૌથી પહેલા પોતાનું રજવાડું સરદાર પટેલને સોંપી દીધું.એને ભારત રત્ન મળવો જોઈએ. કારણકે સમયસર નહીં અપાય તો પછી યાદ આવશે ગાંધીજીને આપણે નોબેલ ન આપ્યું,પછી પસ્તાવો થાય.ત્રણ-ચાર વખત બોલ્યો છું.પણ હવે ક્યારેક એવું લાગે કે નોબેલને રમકડું બનાવી દીધું છે!નોબેલ પારિતોષિક નોબલ લોકોને જ મળવું જોઈએ. ક્યારેક લાગે કે નોબેલને ખો-ખોની રમત જેવું બનાવી દીધું છે!ભાવનગરના રાજવી માટે નાળિયેર લઈને માનતાઓ થતી અને લોકો જેના માટે સ્ટેશન પર કલાકો રાહ જોઈને ઊભા રહેતા એને સમયસર ભારત રત્ન મળવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here