અમદાવાદ પ્લેન ક્રેશમાં ઘાયલ દર્દીઓ માટે સ્વામિનારાયણ મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

0
37

⇒ વિધ્યાર્થીઓના ઉમદા પ્રયાસો દ્વારા ૧૦૦ જેટલી બોટલો એકત્રિત કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી

ગુજરાત, અમદાવાદ ૧૩ જૂન ૨૦૨૫: તારીખ 12/06/25 ના રોજ અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા દર્દીઓ માટે બ્લડની વ્યવસ્થા કરવાના ઉમદા હેતુથી સ્વામીનારાયણ મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ તથા કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

પી એસ એમ હોસ્પિટલ કલોલ (જી. ગાંધીનગર ) ખાતે આયોજિત આ કેમ્પમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીની મેડિકલ કોલેજ ઉપરાંત નર્સિંગ, આયુર્વેદ, ફિજિયોથેરાપી, એન્જિનિયરિંગ વગેરે તમામ કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરેલ. અને કુલ ૧૦૦ જેટલા દાતાઓએ  દ્વારા રકતદાન કરી સમાજ સેવાનું એક અત્યંત અનુકરણીય ઉદાહરણ પૂરું પાડેલ. આ રકતદાન માં એકત્રિત બોટલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવાનું આયોજન પણ કરેલ.

આ આયોજન  એમબીબીએસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શ્રી કપિલ જોગલ, કરણ ચાવડા, વ્રજ વિડજા, યશ ગોંડલીયા, ભૂમિત ચૌહાણ, આનંદ ત્રિવેદી, વેદાંતા ગોહિલ, ભૂમિત ચોચા, શુભમ કટારીયા, દિગ્વિજય ખેર, મયંક ઉકાવાલા, ઉર્વિલ ઠક્કર વગેરે દ્વારા કરાયેલ. જેને કોમ્યુનિટી મેડિસિન વિભાગના ડૉ . નિકિતાબેન, ડૉ.નિલેશ પ્રજાપતિ, ડૉ.વર્ષાબેન તેમજ પ્રકાશભાઈ નાયક, વિજયભાઈ રત્નોતર, તેમજ પી.એસ.એમ. હોસ્પિટલ ના પ્રથમ બ્લડ બેન્કના ઇન્ચાર્જ ડૉ.નંદીનીબેન, વગેરેના સહકારથી સફળ બનાવવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here