⇒ કરણ જોહરની જ્વેલરી બ્રાન્ડ ‘ત્યાની જ્વેલરી’ એ તેના નવા કેમ્પેઈન ‘ફોર્સિસ ઓફ ત્યાની’ હેઠળ 10 નવા બ્રાન્ડ એમ્બેસેડરની ઘોષણા કરી છે.
⇒ આ કેમ્પેઈન ઇન્ડિવિઝ્યુઆલિટી અને સેલ્ફ એક્સપ્રેશન ને એક અનોખા અને દુર્લભ લક્ઝરી સ્વરૂપ તરીકે સન્માનિત કરે છે.
⇒ શેફાલી શાહની ભાગીદારીવાળું ‘ફોર્સીસ ઓફ ત્યાની’ કેમ્પેન હવે વિવિધ પ્લેટફોર્મ પર લાઇવ છે.
મુંબઈ ૦૨ જૂન ૨૦૨૫: ભારતના અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સમાંના એક, ત્યાની જ્વેલરી બાય કરણ જોહર દ્વારા તેમના નવા બ્રાન્ડ કેમ્પેઈન ‘ફોર્સિસ ઑફ ત્યાની’નું અનાવરણ કરવામાં આવ્યું છે. આ કેમ્પેઈન હેઠળ, પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી શેફાલી શાહને આ સીરીઝના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
આ કેમ્પેઈન કંપની માટે એક નવો અને આત્મવિશ્વાસપૂર્ણ અધ્યાય શરૂ કરી રહી છે. આ કેમ્પેઈન માં ૧૦થી વધુ અલગ-અલગ અને વિશિષ્ટ વ્યક્તિત્વને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સામેલ કરવામાં આવશે. ત્યાની જ્વેલરી બાય કરણ જોહર એવા કલાકારોને એક મંચ પર લાવવા જઈ રહ્યું છે, જેમણે સફળતાની પરિભાષા પોતાની રીતે ઘડી છે. દર અઠવાડિયે એક નવો ચહેરો રજૂ કરવામાં આવશે અને આ કેમ્પેઈન આગામી કેટલાક મહિનાઓ સુધી વિવિધ પ્લેટફોર્મ પર આગળ વધશે.
‘ફોર્સીસ ઓફ ત્યાની’નું પ્રથમ લુક શેફાલી શાહની દમદાર અને પ્રભાવશાળી ઉપસ્થિતિ સાથે સામે આવ્યું છે. તેમના વ્યક્તિત્વની ચમક અને આત્મવિશ્વાસને પ્રભાવશાળી સ્ટોરીટેલિંગ દ્વારા દર્શાવવામાં આવ્યો છે, જે મહિલાઓને તેમની શક્તિ નિડરતાથી સ્વીકારવા અને વ્યક્ત કરવા માટે પ્રેરિત કરે છે. તેમણે જે ક્લાસિક ત્યાની નેકલેસ પહેર્યો છે — તે સોનામાં જડેલો છે, કિંમતી રત્નોથી સજાવેલો છે, કટ અને અનકટ ડાયમંડ્સથી તૈયાર થયેલો છે — આ એક ઉત્કૃષ્ટ જ્વેલરીની અભિવ્યક્તિ છે, જે દરેક મહિલાની જીવનગતિ, વાર્તા અને આત્મા સાથે જોડાય છે.
આ કેમ્પેઈન ઇન્ડિવિઝ્યુઆલિટી ને લક્ઝરી ના દુર્લભ સ્વરૂપ તરીકે ઉજવે છે, અને એવી તમામ મહિલાઓને દર્શાવે છે જેઓ પોતાની અનોખી શક્તિને ગર્વથી શોધે છે અને ધારણ કરે છે.
ત્યાની જ્વેલરીના સ્થાપક કરણ જોહર એ આ કેમ્પેઈન વિશે જણાવ્યું, “અમે આ નવા અધ્યાયને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. ‘ફોર્સિસ ઑફ ત્યાની’ અમારા બ્રાન્ડ ફિલોસોફીના કેન્દ્રમાં છે—લક્ઝરીને એકરૂપતા કે સ્ટેટસથી નહીં, પરંતુ ઇન્ડિવિઝ્યુઆલિટી ના ઉત્સવ દ્વારા પુનર્વ્યાખ્યાયિત કરવી જોઈએ. આ કેમ્પેઈન ના મૂળમાં શક્તિ, પ્રામાણિકતા અને ઇનોવેશન છે—આ જ એ સ્તંભ છે, જેના પર ત્યાની ઊભું છે. શેફાલીનું ત્યાની પરિવારમાં સ્વાગત કરવું એ અમારા માટે ગર્વ અને આનંદની ક્ષણ છે.”
‘રિયલ વુમન, રિયલ સ્ટોરીઝ, રિયલ જ્વેલરી’ ની વિચારધારાને જીવનમાં ઉતારીને , ‘ફોર્સેસ ઑફ ત્યાની’ માત્ર એક કેમ્પેઈન નથી, પરંતુ એક સાંસ્કૃતિક આંદોલન છે. જ્વેલરીનો દરેક ભાગ એક વ્યક્તિગત પ્રતીક બની જાય છે, જે કારીગરી, ઇરાદા અને પ્રામાણિકતા સાથે જોડાયેલો છે – આ ફક્ત બાહ્ય ચમક પર નહીં, પરંતુ આંતરિક સુંદરતાની ઉજવણી પર કેન્દ્રિત છે.
કરણ જોહરની ત્યાની જ્વેલરી હાલમાં ભારતના સાત શહેરોમાં ઉપલબ્ધ છે – દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, લખનઉ અને ચંદીગઢ. બ્રાન્ડ 8 જૂને અમદાવાદમાં પોતાનો પહેલો સ્ટોર ખોલવા જઈ રહી છે. ગ્રાહકો tyaani.com પર ઓનલાઈન ખરીદી પણ કરી શકે છે.
ત્યાની જ્વેલરી બાય કરણ જોહર :
કરણ જોહરની સર્જનાત્મક પ્રતિભાથી પ્રેરિત, ત્યાની એક અગ્રણી જ્વેલરી બ્રાન્ડ છે, જેની સ્થાપના 6 વર્ષ પહેલાં થઈ હતી. આ બ્રાન્ડની શરૂઆત ભારતીય ગ્રાહકોને પહેલીવાર સુંદર અને પોસાય તેવી હેન્ડક્રાફ્ટેડ ફાઇન જ્વેલરીનો એક વિશિષ્ટ સંગ્રહ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આ બ્રાન્ડ હાલમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, લખનૌ, ચંદીગઢ અને અમદાવાદ — આ 8 શહેરોમાં હાજર છે. આ બ્રાન્ડ તેની ઓથેન્ટિક ડિઝાઇન અને કારીગરી પર ગર્વ અનુભવે છે, અને સોનામાં તૈયાર કરાયેલી, કટ અને અનકટ ડાયમંડ્સથી બનેલી જ્વેલરીની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.