ગુજરાત, અમદાવાદ ૦૨ મે ૨૦૨૫: શું તમે પણ ક્યારેય UPSC GPSC પાસ કરવાનું સપનું જોયેલું છે તો આ સપ્તાહનો અંત તમારા માટે અતિશય નિર્ણાયક રહશે
સમગ્ર ગુજરાતભરના ઉમેદવારો આ રવિવારે તારીખ 4 મે 2025 ના રોજ સવારે 9:00 વાગે દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આયોજીત થઈ રહેલા UPSC GPSC Career Carnival Talk મા ઉપસ્થિત રહેવાના છે.
ધોરણ 12 અથવા કોલેજ રનીંગ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ UPSC GPSC માં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર સિવિલ સેવકો ને રૂબરૂ મળવાની અને તેમનું યોગ્ય માર્ગદર્શન મેળવવાની ખાતરી આપે છે.
આ સેમિનારમાં UPSC CSE 2024 માં સમગ્ર ભારતમાં બીજા રેન્ક પ્રાપ્ત કરનાર હર્ષિતા ગોયલ મેમ હાજર રહેશે તથા સમગ્ર ભારતમાં આટલી મોટી સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી તેની રણનીતિ તથા પોતાની સફળતાની મુસાફરીનો અનુભવ શેર કરશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લેખક અને વક્તા જય વસાવડા પણ હાજરી આપશે, જેઓ તેમની પ્રેરણાદાયી વાર્તા કહેવાની શૈલી અને તીક્ષ્ણ સાંસ્કૃતિક ટિપ્પણી માટે જાણીતા છે. તેમની પાસેથી આપણને બૌદ્ધિક તીક્ષણતા અને વાસ્તવિક દુનિયાના માર્ગદર્શનની મિશ્ર બાબતો જાણવા મળશે જે ભારતના એવા યુવાનો કે જે સૌથી પડકારજનક અને અઘરી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અતિશય ઉપયોગી સાબિત થશે.
આ કાર્યક્રમમાં શ્રી વિદ્યા સાગર (IAS, 2022), શ્રી પાર્થ ચાવડા (IRS, 2023), શ્રી અંકિત વાણિયા (AIR 607, 2024), અને કુ. વિશ્વા પાઠક (સહાયક કમિશનર, GPSC રેન્ક 3, 2025) સહિતના નિષ્ણાતોની એક શક્તિશાળી પેનલ પણ હશે — આ તમામ લોકોએ કેવી રીતે પરીક્ષાઓ પાસ કરી અને આજે કઈ વ્યૂહરચનાઓ ખરેખર ઉપયોગી થઈ શકે તે અંગેનો અનુભવ શેર કરશે.
લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા આયોજિત અને સ્ટોઈક્યોર દ્વારા સમર્થિત, આ પહેલ ગુજરાતના યુવાનોને કેન્દ્રિત કારકિર્દી માર્ગદર્શન અને માનસિક ક્ષમતાના વિકાસમાં સહાય પૂરી પાડવાના એક મોટા મિશનનો ભાગ છે.
પ્રવેશ નિઃશુલ્ક છે, પરંતુ નોંધણી ફરજિયાત છે.
વિદ્યાર્થીઓ સત્તાવાર પોસ્ટર પરનો QR કોડ સ્કેન કરી શકે છે અથવા સીટ બુક કરવા માટે ફક્ત 81283 81283 પર કૉલ/વોટ્સએપ કરી શકે છે.
સિવિલ સર્વિસના ઉમેદવારો, તમારી તારીખો નોંધો. 4 મે એ દિવસ હોઈ શકે છે જ્યારે તમારી યાત્રાનો વાસ્તવિક રીતે પ્રારંભ થશે.