બીએનઆઈ બરોડા 26 અને 27 એપ્રિલના રોજ કોલોઝિયમ 2025નું આયોજન કરશે

0
4

ગુજરાત, વડોદરા ૨૩ એપ્રિલ ૨૦૨૫: બીએનઆઈ બરોડા 26 અને 27 એપ્રિલના રોજ કોલોઝિયમ 2025 નું આયોજન કરશે, જે એક પ્રીમિયર બિઝનેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ છે જ્યાં ઇનોવેશન, આઈડિયા અને ઈન્ડસ્ટ્રી એકીકૃત રીતે ભેગા થાય છે. આ ઇવેન્ટ વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો અને વિચારશીલ લીડર્સ માટે એક લેન્ડમાર્ક ગેધરિંગ બનવાનું વચન આપે છે.

ચાર્જ ઝોન દ્વારા પ્રસ્તુત અને શેર માર્ટ દ્વારા સંચાલિત, કોલોઝિયમ 2025 માં સશક્તિકરણ અને ઉત્થાન માટે ડિઝાઈન કરાયેલ સેશન્સ અને નેટવર્કિંગ તકોનું સમૃદ્ધ મિશ્રણ હશે. પહેલા દિવસે પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા એક ખાસ સ્પીકર સેશન અને ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોની હાજરીમાં ક્લસ્ટર 1-2-1 કોન્ક્લેવનો સમાવેશ થશે.

પ્રથમ દિવસે ક્રોસ-રિજન નેટવર્કિંગ, વિવિધ ઈન્ડસ્ટ્રી સહયોગીઓ દ્વારા એક્ઝિબિશન અને 800 થી વધુ બીએનઆઈ મેમ્બર્સ વચ્ચે વિચારોનું વાઇબ્રન્ટ એક્સચેન્જ પણ કરવામાં આવશે. આ દિવસ ઉત્કૃષ્ટ યોગદાનકર્તાઓને પુરસ્કારો અને સન્માન સાથે સમાપ્ત થશે.

બીજા દિવસે વધુ એવોર્ડ્સ, એન્ટરટેઇન્મેન્ટ અને એક ગ્રાન્ડ ગાલા ફેમિલી ડિનર સાથે ઇવેન્ટનું સમાપન ઉજવશે.

આ ઇવેન્ટ અંગે કોમેન્ટ કરતાં, કોલોઝિયમ 2025 ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, “કોલોઝિયમ 2025 ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સહયોગની ઉજવણી છે. અમે એક ડાયનેમિક વાતાવરણ બનાવી રહ્યા છીએ જ્યાં વિવિધ ઈન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ એકસાથે આવી શકે, પાવરફુલ આઈડિયા એક્સચેન્જ કરી શકે છે અને એવા કનેક્શન્સ બનાવી શકે છે જે વાસ્તવિક અસર તરફ દોરી જાય છે. અમને આ પ્લેટફોર્મનું આયોજન કરવામાં ગર્વ છે જે વડોદરા અને તેનાથી આગળના વે બિઝનેસ કોમ્યુનિટીની વિકસતી આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.”

આ પ્રસંગે હાજર રહેલા બીએનઆઇના પૂર્વ સભ્ય અને કોલોઝિયમ ઇવેન્ટરના મુખ્ય સ્પોન્સર ચાર્જ ઝોન કંપનીના ડિરેક્ટર કિન્નરી હરિયાણીએ જણાવ્યું હતું કે, અમારો અને બીએનઆઇનો સંબંધ વર્ષો જૂનો છે. જ્યારે અમે સોલાર વ્યવસાય શરૂ કર્યો ત્યારથી બીએનઆઇના સભ્ય હતા અને એ પછી બીએનઆઈમાંથી અમને ઘણા શુભેચ્છકો અને સપ્લાયર્સ મળ્યા. ચાર્જ ઝોન વર્ષ 2018માં શરૂ થઈ અત્યારે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. અમે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા માટે પ્રતિબંધ છીએ. બીએનઆઈ પ્લેટફોર્મમાં નાનો હોય કે મોટો તમામ વ્યવસાયકારો એક સરખા હોય છે. કોલોઝિયમમાં નવા બિઝનેસ આઈડિયાની ખબર પડશે. આ પ્રસંગે અમે નવું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે, જેમાં ફ્રેન્ચાઇઝની મોડલ રજૂ કરવામાં આવશે. જેનાથી નાના રોકાણકરોને ફિક્સ ઇન્કમ મળી શકશે.

કોલોઝિયમ 2025 ભવિષ્યને આકાર આપવા માટે ઉત્સાહી હોય તેવા બધા લોકોને તેમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. પ્રભાવશાળી ઈન્ટરેક્શન, મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને કોમ્યુનિટી ની પાવરફુલ ભાવનાના વચન સાથે, આ ઇવેન્ટ બીએનઆઈ બરોડા અને તેનાથી આગળના લોકો માટે એક નિર્ણાયક ક્ષણ બનવા માટે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here