ગુજરાત ૧૫ જૂન ૨૦૨૫: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મટિરિયલ્સ મેનેજમેન્ટ (આઈ.આઈ.એમ.એમ.) ને આનંદ સાથે જાહેરાત કરતાં ગર્વ થાય છે કે તેની નવી રાજકોટ શાખાનું ઓફિશિયલ ગઠન ૨૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ થયું છે. તેનો ઉદઘાટન સમારંભ ૧૪ જૂન ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે યોજાનાર છે।
આ વિશેષ પ્રસંગે આઈ.આઈ.એમ.એમ.ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એલ.આર. મીના વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી લાલભાઈ પટેલ, પ્રોફેસર (ડૉક્ટર) સુરેશ શર્મા અને શ્રી મલય મજુમદાર, જે બંને આઈ.આઈ.એમ.એમ.ના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે, તેઓ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન પશ્ચિમ ઝોનના ઉપપ્રમુખ શ્રી પંકજ પંચભાઈ અને રાજકોટ શાખાના અધ્યક્ષ શ્રી હિતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.
નવી રાજકોટ શાખાના મુખ્ય હોદેદારો નીચે મુજબ છે:
• ઉપપ્રમુખ: મનીષ યાદવ
• સચિવ: હરીશ પટેલ
• રાષ્ટ્રીય પરિષદ સભ્યો: બિનલ દરજી, નિલેશ કિકાણી
• કાર્યકારી સમિતિના સભ્યો: ગીતા નાંબિયાર, ભાગ્યશ્રી ડોડિયા, મેઘા પંચાલ, વિદિત નાથવાણી
આ પહેલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામગ્રી અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ક્ષેત્રે વ્યાવસાયિક વિકાસ, જ્ઞાન-વિનિમય અને શૈક્ષણિક સુધારણા માટે નવા અવસરો ઊભા કરવા દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું છે.
આઈ.આઈ.એમ.એમ. ભારતની એકમાત્ર વ્યાવસાયિક સંસ્થા છે જે સામગ્રી અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ક્ષેત્રને સમર્પિત છે. સંસ્થાની દેશભરમાં ૫૫થી વધુ શાખાઓ અને ૨૦ અધ્યાયો છે અને તેમાં ૧૦,૦૦૦થી વધુ સભ્યોનો સમાવેશ થાય છે. આ સંસ્થા આઈ.એફ.પી.એમ.એમ., એટલાંટા, યુએસએની ચાર્ટર સભ્ય છે, જે ૪૦થી વધુ દેશોમાં સક્રિય છે.
સંસ્થાનું શૈક્ષણિક મથક મુંબઈ ખાતે આવેલું છે, જ્યાં ઉદ્યોગસર્જિત વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેમ કે ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મટિરિયલ્સ મેનેજમેન્ટ, જેને ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. ઉપરાંત, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મટિરિયલ્સ મેનેજમેન્ટ અને ડિપ્લોમા ઇન લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ જેવા કોર્સ પણ સંચાલિત થાય છે.
સંસ્થાનો હેતુ માત્ર વ્યાવસાયિક કૌશલ્યનો વિકાસ કરવાનો જ નથી, પરંતુ ઉદ્યોગ સાથે સહયોગ દ્વારા સંશોધન અને નવિનતા માટે પણ પ્રોત્સાહન આપવાનો છે. રાજકોટ શાખાનું ગઠન આ મિશનને વધુ મજબૂત બનાવશે.