NJ વેલ્થ એન્ડ અને ધ નેકસ્ટ જનરેશન: કેવી રીતે અયાન ઉપાધ્યાય એક મ્યુચ્યુઅલ ફંડ વિતરકના રૂપમાં રોકાણના ભવિષ્યને આકાર આપી રહ્યા છે

0
8

ગુજરાત, અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: NJ વેલ્થ સાથે મ્યુચ્યુઅલ ફંડ વિતરણમાં અયાન ઉપાધ્યાયની સફર નવીનતા, સ્થિતિસ્થાપકતા અને પ્રગતિની કહાની છે. ફાઇનાન્સમાં ગોલ્ડ મેડલ મેળવવાથી લઈને પારુલ યુનિવર્સિટીમાંથી MBA પૂર્ણ કરવાથી લઈને તેમના પિતા દ્વારા બનાવેલા વ્યવસાયમાં પગ મૂકવા સુધીનો માર્ગ સતત શીખવા અને પરિવર્તનનો રહ્યો છે. 2017માં જ્યારે તેઓ જોડાયા ત્યારે તેમણે વ્યવસાયને આધુનિક બનાવવાની તક જોઈ અને ક્લાયન્ટ અનુભવ અને કાર્યકારી કાર્યક્ષમતાને ફરીથી પરિભાષિત કરવા માટે ડિજિટલ પ્રગતિને અપનાવી.

આજે અયાન લગભગ રૂ. 300 કરોડની પ્રભાવશાળી AUM, રૂ. 1.20 કરોડની SIP બુક અને 2,000થી વધુ રોકાણકારોનો મજબૂત ક્લાયન્ટ બેઝનું સંચાલન કરે છે. પરંપરાગત ઑફલાઇન કામગીરીથી સંપૂર્ણપણે ડિજિટલ મોડેલમાં વ્યવસાયને સંચાલન કરવાના તેમના વ્યૂહાત્મક નિર્ણયથી ગ્રાહક સેવા અને કાર્યકારી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. NJ વેલ્થ્સના એડવાન્સ્ડ પ્લેટફોર્મે આ પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે સીમલેસ ઓનલાઈન વ્યવહારો, SIP પ્રક્રિયાઓનું ઓટોમેશન અને દેશભરમાંથી સરળ ક્લાયન્ટ ઓનબોર્ડિંગને મંજૂરી આપે છે.

ઉદ્યોગના વિકાસ પર વિચાર કરતા અયાન યાદ કરે છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી નાણાકીય સેવાઓમાં ધરખમ ફેરફાર આવ્યા છે. તેઓ કહે છે કે, “પહેલા મારા પિતાને SIP માટે 12 પોસ્ટ-ડેટેડ ચેક લેવા પડતા હતા. હવે NJ વેલ્થની ઇ-મેન્ડેટ સિસ્ટમ સાથે વ્યવહારો મિનિટોમાં પ્રક્રિયા થઈ જાય છે. ઑફલાઇનથી ડિજિટલ તરફના પરિવર્તને ખરેખર ગ્રાહકોને સેવા આપવાની અમારી રીતમાં ક્રાંતિ લાવી છે,”

અયાનનું માનવું છે કે, સફળતાની ચાવી વિશ્વાસ, ધીરજ અને અનુકૂલનક્ષમતામાં રહેલી છે. જ્યારે બજારમાં ઉતાર-ચઢાવ અનિવાર્ય છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરની ભૂમિકા વ્યવહારોથી આગળ વધે છે. તેમાં અનિશ્ચિતતાઓ દ્વારા ગ્રાહકોને મદદ કરવાનો સમાવેશ થાય છે, જેથી તેઓ તેમના નાણાકીય ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સાથો-સાથ નિયમનકારી ફેરફારો સાથે અપડેટ રહેવા અને રોકાણકારોને સતત શિક્ષિત કરવાના મહત્વ પર ભાર મૂકે છે.

બીજી પેઢીના ઉદ્યોગસાહસિક તરીકેની તેમની જર્ની ખૂબ જ સંતોષકારક રહી છે.ખાસ કરીને જ્યારે ગ્રાહકો ઘર ખરીદવા અથવા તેમના બાળકોના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવા જેવા મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ હાંસિલ કરવામાં તેમની મદદ કરવા માટે આભાર વ્યક્ત કરે છે. અયાન કહે છે કે, “આ વ્યવસાય ફક્ત નાણાકીય લાભ વિશે નથી, પરંતુ વાસ્તવિક જીવનના સપના સાકાર થવાના સાક્ષી બનવા વિશે છે.”

યુવા ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા અયાનસલાહ આપે છે કે, “આ ઉદ્યોગમાં અપાર તકો છે. પ્રતિબદ્ધ રહીને સંબંધો બનાવવા અને ડિજિટલ પરિવર્તનને અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. પુરસ્કારો નાણાકીય સફળતાથી આગળ વધીને લોકોના જીવન પર કાયમી અસર કરે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here