અમદાવાદનું વાઈબ્રન્ટ ફેસ્ટિવ કલ્ચર શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે ઉભરી આવ્યું છે: સ્કાયસ્કેનરનો ખુલાસો

0
16

અમદાવાદના દર બેમાંથી એકથી વધુ પ્રવાસીઓ હવે તેમની રજાઓનું આયોજન મુખ્યત્વે સાંસ્કૃતિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરે છે, જ્યારે વારસો, તહેવારો અને આધ્યાત્મિક યાત્રાઓ શહેરના પ્રવાસ માટેની સૌથી મજબૂત પ્રેરણાઓ તરીકે ઉભરી આવ્યા છે.

અમદાવાદ, ગુજરાત | ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ | અગ્રણી વૈશ્વિક ટ્રાવેલ એપ સ્કાયસ્કેનરે આજે ‘ધ ઇન્ડિયા કલ્ચર ટ્રાવેલ ઇન્ડેક્સ’ના તારણો જાહેર કર્યા, જેમાં અમદાવાદના પ્રવાસીઓમાં સંસ્કૃતિ-આધારિત પ્રવાસ કરવાની વધતી જતી પસંદગી સામે આવી છે. અડધા (50 ટકા) પ્રતિભાવદાતાઓએ અમદાવાદની સાંસ્કૃતિક ઓળખને તેની સમૃદ્ધ ઉત્સવ પરંપરાઓ, તેની રસોઈ પરંપરા, આધ્યાત્મિક સ્થળો અને ગાંધીવાદી વારસા સાથે સૌથી વધુ નજીકથી જોડે છે. આ સાંસ્કૃતિક મૂલ્યો હવે લોકોના પ્રવાસના નિર્ણયોને પણ પ્રભાવિત કરી રહ્યા છે. સર્વે મુજબ, વારસો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત (57%) સાંસ્કૃતિક પ્રવાસ માટેનું સૌથી મોટું પ્રેરણાસ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ તહેવારો અને ઉજવણીઓ (54%) તેમજ આધ્યાત્મિક યાત્રાઓ (54%) પણ પ્રવાસ માટેની મુખ્ય પ્રેરણાઓ તરીકે ઉભરી આવી છે.

સ્કાયસ્કેનર ઇન્ડિયાના ટ્રાવેલ ટ્રેન્ડ્સ એન્ડ ડેસ્ટિનેશન્સ એક્સપર્ટ નીલ ઘોષે જણાવ્યું હતું કે, “અમદાવાદના પ્રવાસીઓ માટે હવે સંસ્કૃતિ માત્ર પ્રવાસ સ્થળનો એક ભાગ રહી નથી, પરંતુ તે પ્રવાસનું મુખ્ય કારણ બની રહી છે. અમદાવાદની સમૃદ્ધ ઉત્સવી પરંપરાઓ શહેરની સાંસ્કૃતિક ઓળખનું કેન્દ્રબિંદુ છે, જે દર્શાવે છે કે લોકો હવે કોઈ સ્થળના ઇતિહાસ, ઉજવણીઓ અને સ્થાનિક સમુદાયો સાથે જોડાયેલા અનુભવોને વધુ મહત્વ આપી રહ્યા છે. સાથે જ, શહેરનો વારસો અને આધ્યાત્મિક પરંપરાઓ સાથેનો ગાઢ સંબંધ એ પણ દર્શાવે છે કે પ્રવાસીઓ હવે વધુ પ્રામાણિક અને અર્થસભર અનુભવોની શોધમાં છે. જેમ જેમ વધુ લોકો પોતાના વેકેશનનું આયોજન વારસો, તહેવારો અને આધ્યાત્મિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે, તેમ મુસાફરીની તારીખો ફ્લેક્સિબલ રાખવી અને વિવિધ વિકલ્પોની તુલના કરવી તેમને તેમના પ્રવાસનો શ્રેષ્ઠ અનુભવ મેળવવામાં મદદરૂપ બની શકે છે.”

વારસો, તહેવારો અને આધ્યાત્મિકતા અમદાવાદના પ્રવાસીઓની વેકેશન પસંદગીને આકાર આપી રહ્યા છે. 

અમદાવાદના પ્રવાસીઓમાં સાંસ્કૃતિક અનુભવોને કેન્દ્રમાં રાખીને પ્રવાસ કરવાની રુચિ સતત વધી રહી છે. સર્વે મુજબ, 88 ટકા પ્રવાસીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી મુસાફરી પ્રત્યે તેમનો રસ વધ્યો છે. હવે 56 ટકા લોકો પોતાના વેકેશનનું આયોજન મુખ્યત્વે વારસો, તહેવારો, ભોજન અને પરંપરાઓ જેવા સાંસ્કૃતિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરે છે, જ્યારે વધુ 30 ટકા લોકોનું કહેવું છે કે ભલે સંસ્કૃતિ તેમના પ્રવાસનું મુખ્ય કારણ હોય, છતાં તે તેમની મુસાફરીને વધુ સમૃદ્ધ અને યાદગાર બનાવે છે. 

પરિવર્તન હવે પ્રવાસની આદતોમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અમદાવાદના 94 ટકા પ્રવાસીઓ સાંસ્કૃતિક અનુભવો માટે ગુજરાતની બહાર પ્રવાસ કરે છે, જ્યારે લગભગ 10 માંથી 9 (88 ટકા) લોકોએ જણાવ્યું કે તેઓ પ્રામાણિક અને અનોખા સાંસ્કૃતિક અનુભવો મેળવવા માટે પોતાના રાજ્યની બહાર અથવા ઓછા જાણીતા પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા તૈયાર છે. વલણને પ્રોત્સાહન આપતા મુખ્ય પરિબળોમાં સ્થાનિક ભોજન, હસ્તકળા અને હેરિટેજ ટ્રેલ્સની વધતી લોકપ્રિયતા (46%) તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યે વધતો ગર્વ (42%) મુખ્ય કારણો તરીકે સામે આવ્યા છે. 

જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતના કયા રાજ્યો સૌથી સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવો પ્રદાન કરે છે, ત્યારે ગુજરાતના 26% પ્રવાસીઓએ પોતાના રાજ્યને પ્રથમ સ્થાન આપ્યું, ત્યારબાદ રાજસ્થાન (25%), ઉત્તર પ્રદેશ (12%) અને કેરળ (7%)નો ક્રમ રહ્યો. 

તહેવારો અને શ્રદ્ધા મુસાફરીને પ્રેરણા આપે છે 

મુખ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવો હવે પ્રવાસના આયોજનને વધુને વધુ પ્રભાવિત કરી રહ્યા છે. સર્વે મુજબ, અમદાવાદના લગભગ ચારમાંથી ત્રણ (74%) જણાવ્યું કે તેઓ કોઈ મોટા સાંસ્કૃતિક અથવા ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા માટે ખાસ પ્રવાસનું આયોજન કરવાનું વિચારશે. 

નવરાત્રી ગરબા (55%) સૌથી વધુ લોકપ્રિય તહેવાર પ્રવાસ છે, ત્યારબાદ દિવાળી ઉજવણી (50%), રણ ઉત્સવ (41%), દ્વારકામાં જન્માષ્ટમી ઉજવણી (37%), કુંભ મેળો (35%), દુર્ગા પૂજા (35%), રથયાત્રા (33%) અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (28%)નો સમાવેશ થાય છે. 

પ્રવાસીઓ મુખ્યત્વે વર્ષમાં એક વાર યોજાતા અધિકૃત સાંસ્કૃતિક ઉજવણી (34%) નો અનુભવ કરવાની તક દ્વારા પ્રેરિત થાય છે, ત્યારબાદ આધ્યાત્મિક અથવા ભાવનાત્મક જોડાણ (24%) આવે છે. 

અમદાવાદના રહેવાસીઓ હવે સાંસ્કૃતિક અનુભવો માટે વિદેશ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે 

સંસ્કૃતિ આધારિત પ્રવાસન પ્રત્યેનો રસ વિદેશ પ્રવાસ સુધી પણ વિસ્તર્યો છે. અમદાવાદના ત્રણમાંથી એક રહેવાસી (33%) રહેવાસીઓ સાંસ્કૃતિક અનુભવો માટે વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે, જ્યારે 59% લોકો ભવિષ્યમાં આવા સાંસ્કૃતિક પ્રવાસ કરવાની ઇચ્છા ધરાવે છે. 

સંસ્કૃતિ-આધારિત આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે સૌથી વધુ ઇચ્છિત સ્થળોમાં, જાપાન (25%) પ્રથમ ક્રમે છે, ત્યારબાદ થાઇલેન્ડ અને વિયેતનામ (20%), ઇટાલી (18%), યુનાઇટેડ કિંગડમ (12%) અને ઇજિપ્ત (10%) આવે છે. તહેવારો, ભોજન અને આધ્યાત્મિકતા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને વ્યાખ્યાયિત કરે છે. 

ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને તહેવારો, ખાણીપીણી અને આધ્યાત્મિકતા આકાર આપે છે 

અમદાવાદની જીવંત ઉત્સવી પરંપરાઓ શહેરની સાંસ્કૃતિક ઓળખને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. 50 ટકા પ્રતિભાવદાતાઓએ અમદાવાદની ઓળખને સૌથી વધુ નવરાત્રી અને ગરબાની પરંપરાઓ સાથે સાંકળી છે. ત્યારબાદ ગુજરાતી ભોજન અને સમૃદ્ધ રસોઈ પરંપરા (45%), અક્ષરધામ, દ્વારકા અને સોમનાથ જેવા આધ્યાત્મિક સ્થળો (42%), કચ્છનું રણ, પાટણ, મોઢેરા અને વડોદરા જેવા નજીકના સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો (40%), તેમજ સાબરમતી આશ્રમ અને ગાંધીજીનો વારસો (38%) અમદાવાદની આગવી સાંસ્કૃતિક ઓળખના મુખ્ય પ્રતીકો તરીકે સામે આવ્યા છે. 

પ્રતિભાવદાતાઓનું માનવું છે કે દ્વારકા અને સોમનાથનું આધ્યાત્મિક સર્કિટ (47%), કચ્છના રણની ગ્રામ્ય અને લોકસાંસ્કૃતિક અનુભૂતિઓ (45%), ઢોકળા અને ફાફડાથી આગળ વધતી ગુજરાતની વૈવિધ્યસભર રસોઈ યાત્રાઓ (36%), લોકસંગીત, ગરબા અને પ્રાદેશિક લોકકથાઓની પરંપરાઓ (34%), તેમજ મોઢેરા સૂર્ય મંદિર અને ત્યાં યોજાતા સાંસ્કૃતિક ઉત્સવો (30%)ને વધુ વ્યાપક ઓળખ અને પ્રચાર મળવો જોઈએ. ગુજરાતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને વધુ અસરકારક રીતે રજૂ કરીને વધુને વધુ પ્રવાસીઓને રાજ્યના અનોખા સાંસ્કૃતિક અનુભવો તરફ આકર્ષવાની નોંધપાત્ર તકો ઉપલબ્ધ છે. 

વ્યવહારુ પરિબળો આજે પણ પ્રવાસના નિર્ણયોને આકાર આપી રહ્યા છે. 

સાંસ્કૃતિક અનુભવોને કેન્દ્રમાં રાખીને પ્રવાસ કરવાની ઉત્સુકતા ઊંચી હોવા છતાં, વ્યવહારુ પરિબળો આજે પણ લોકોના વેકેશનના આયોજનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી રહ્યા છે. ભીડ અને ઓવરટૂરિઝમ (45%) સાંસ્કૃતિક પ્રવાસમાં અવરોધરૂપ બનતું સૌથી મોટું કારણ છે. ત્યારબાદ ઉત્સવો દરમિયાન પ્રવાસ ખર્ચમાં થતો વધારો (41%), સલામતીની ચિંતાઓ (36%), પ્રવાસનો ઊંચો ખર્ચ (32%) તેમજ હવામાન અથવા મોસમી વિક્ષેપ (30%) પ્રવાસીઓ માટેના મુખ્ય પડકારો તરીકે સામે આવ્યા છે. 

વારસા આધારિત પ્રવાસ પ્રત્યેનો રસ સતત વધી રહ્યો છે ત્યારે સ્કાયસ્કેનર પ્રવાસીઓને નવા પ્રવાસન સ્થળોની શોધ, વિવિધ મુસાફરીના વિકલ્પોની તુલના તેમજ હેરિટેજ ટ્રેલ્સ, ઉત્સવો અને સ્થાનિક સાંસ્કૃતિક અનુભવોને કેન્દ્રમાં રાખીને પ્રવાસનું આયોજન કરવામાં મદદરૂપ બની રહ્યું છે. પ્રવાસ માટે પ્રેરણા મેળવવાથી લઈને ભાડાના દરો કરવા અને વિવિધ પ્રવાસ તારીખોની તુલના કરવા સુધી, સ્કાયસ્કેનરના વિવિધ બિલ્ટ-ઇન ટૂલ્સ સાંસ્કૃતિક અનુભવોને કેન્દ્રમાં રાખીને પ્રવાસનું આયોજન વધુ સરળ, અનુકૂળ અને ફ્લેક્સિબલ બનાવે છે. 

હેરિટેજ ટુરિઝમ, સસ્ટેનેબિલિટી, સાંસ્કૃતિક વ્યૂહરચના અને કથક નૃત્યના નિષ્ણાત ડૉ. નવીના જાફાએ જણાવ્યું હતું કે,ભારતનો સાંસ્કૃતિક વારસો માત્ર ઐતિહાસિક સ્મારકો વિશે નથી, પરંતુ તેમાં હેરિટેજ લેન્ડસ્કેપ્સની આસપાસની ઇકોસિસ્ટમ્સનો પણ સમાવેશ થાય છે, જેમાં કુશળ સર્જનાત્મક સમુદાયો, સાંસ્કૃતિક પરંપરાઓ અને જીવનશૈલીનો સમાવેશ થાય છે. અભ્યાસો દર્શાવે છે કે વધુને વધુ પ્રવાસીઓ વારસા સાથે જોડાયેલા જીવંત અને ગહન અનુભવોની શોધમાં છે. વલણ વાત પર ભાર મૂકે છે કે ભારતે તેની વિશાળ ભૌગોલિક વૈવિધ્યતા અને બહુસ્તરીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને વિકાસમાં વધુ રોકાણ કરવાની જરૂર છે. ઝડપથી વિકસી રહેલું ક્ષેત્ર વારસાના સંરક્ષણ, આર્થિક વિકાસ તેમજ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે હેરિટેજ ટૂરિઝમને વધુ મજબૂત બનાવવાની નોંધપાત્ર તકો પ્રદાન કરે છે.” 

સંસ્કૃતિઆધારિત મુસાફરીનું આયોજન કરવામાં મદદ કરવા માટે સ્કાયસ્કેનર ટૂલ્સ 

જેમ જેમ વધુ પ્રવાસીઓ તહેવારો અને મોસમી કાર્યક્રમોની આસપાસ આયોજન કરે છે, તેમ તેમ સુગમતા પ્રેરણા જેટલી મહત્વપૂર્ણ બની ગઈ છે. સ્કાયસ્કેનર પ્રવાસીઓને તારીખોની તુલના કરવામાં, કિંમતો ટ્રેક કરવામાં અને તેઓ શોધી રહ્યા છે તે અનુભવો સાથે મેળ ખાતા સ્થળો શોધવામાં મદદ કરવા માટે વિવિધ ટૂલ્સ પ્રદાન કરે છે: 

  • AI સાથે એક્સપ્લોર:

પ્રવાસીઓ પોતાની પસંદગીની મુસાફરીનું વર્ણન સામાન્ય ભાષામાં કરી શકે છે, જેમ કે “ડિસેમ્બરમાં જાપાન માટે સસ્તી ફ્લાઇટ્સ” અથવા “લાંબા વીકએન્ડ માટે હેરિટેજ ડેસ્ટિનેશન્સ”. તેના આધારે AI વ્યક્તિગત પસંદગી મુજબ પ્રવાસન સ્થળોના સૂચનો આપે છે, જેમાં ટિકિટના અંદાજિત ભાવ, હવામાન, ફ્લાઇટનો સમયગાળો અને પ્રવાસની શૈલી અંગે ઉપયોગી માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

  • પ્રાઇસ એલર્ટ્સ :

પસંદ કરેલા રૂટ માટેના હવાઈ ભાડા પર સતત નજર રાખો અને જ્યારે કિંમતોમાં ફેરફાર થાય ત્યારે તરત સૂચનાઓ મેળવો. સુવિધા ભાડામાં ઘટાડો થતાં યોગ્ય સમયે ટિકિટ બુક કરવાનું વધુ સરળ બનાવે છે.

  • હોલ મન્થ સર્ચ :

આખા મહિનાના વિવિધ દિવસોના હવાઈ ભાડાની તુલના કરીને સૌથી સસ્તી અને અનુકૂળ મુસાફરીની તારીખો સરળતાથી શોધી શકાય છે. ખાસ કરીને ઉત્સવો અથવા ઋતુઆધારિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પ્રવાસનું આયોજન કરતી વખતે આ સુવિધા વધુ લાભદાયી સાબિત થાય છે.

  • નિયરબાય એરપોર્ટ્સ :
    પ્રસ્થાન અને આગમન સ્થળની નજીક આવેલા વિવિધ એરપોર્ટ્સના હવાઈ ભાડાની તુલના કરીને વધુ કિફાયતી ફ્લાઇટ વિકલ્પો અને વધુ લવચીક મુસાફરી રૂટ્સ શોધી શકાય છે. સુવિધા પ્રવાસીઓને ખર્ચમાં બચત સાથે વધુ અનુકૂળ પ્રવાસ આયોજન કરવામાં મદદરૂપ બને છે.
  • ફ્લાઇટ ટ્રેકર:

મુસાફરીના દિવસે ફ્લાઇટની રિયલ-ટાઇમ માહિતી, જેમ કે પ્રસ્થાન અને આગમનનો સમય, ગેટની વિગતો તેમજ બેગેજ બેલ્ટ સંબંધિત અપડેટ્સ સરળતાથી મેળવી શકાય છે. સુવિધા પ્રવાસીઓને વધુ નિશ્ચિંત અને સુગમ મુસાફરીનો અનુભવ કરવામાં મદદરૂપ બને છે.

  • ડ્રોપ્સ :

 માત્ર સ્કાયસ્કેનર એપ પર ઉપલબ્ધ DROPS સુવિધા છેલ્લા સાત દિવસ દરમિયાન 20 ટકા અથવા તેથી વધુ ઘટેલા હવાઈ ભાડા ધરાવતી ફ્લાઇટ્સને હાઇલાઇટ કરે છે. આથી પ્રવાસીઓને આકર્ષક અને વધુ કિફાયતી ભાડાવાળી ફ્લાઇટ્સ સરળતાથી શોધવામાં મદદ મળે છે.

== સમાપ્ત ==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here