વિરાસત ફાઉન્ડેશનના રોહન જરદોશે પોતાના પુત્ર રૂહાનના જન્મદિવસને શેરિંગનું લેસન બનાવ્યો

0
47

ગુજરાત, અમદાવાદ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ વિરાસત ફાઉન્ડેશનના સ્થાપક, ક્રિએટિવ સ્ટ્રેટેજિસ્ટ અને કોર્પોરેટ ફિલ્મમેકર રોહન જરદોશે તેમના પુત્ર રૂહાનના ત્રીજા જન્મદિવસને સેવાભાવની ભાવનાથી ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે શાળાના બાળકોને બિસ્કિટ વિતરણ કરીને સમાજ પ્રત્યે આપવાની ભાવનાનો સુંદર સંદેશ આપ્યો.

આ પહેલ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો કે ઉજવણી માત્ર વ્યક્તિગત આનંદ સુધી મર્યાદિત ન રહે, પરંતુ અન્ય લોકો સાથે ખુશી વહેંચવાની તક પણ બની શકે. નાનાં વિદ્યાર્થીઓ સાથે જોડાણ કરીને, ફાઉન્ડેશને સહાનુભૂતિ, ઉદારતા અને સામાજિક જવાબદારી જેવા મૂલ્યોનું બાળપણથી જ સંસ્કારણ કરવાનો હેતુ રાખ્યો હતો.

“જન્મદિવસ ફક્ત ગિફ્ટ્સ મેળવવાનો દિવસ નથી. વિરાસત ફાઉન્ડેશન મારફતે અમે રૂહાનનો જન્મદિવસ બાળકો સાથે શેર કરીને ઉજવવાનો નિર્ણય કર્યો અને સાચો આનંદ આપવાથી મળે છે એવી ભાવનાનું બીજ રોપવાનો પ્રયાસ કર્યો. ખુશી વહેંચીએ ત્યારે તે અનેકગણી વધી જાય છે,” એવું જરદોશે જણાવ્યું.

આ આઉટરીચ વિરાસત ફાઉન્ડેશનના વ્યાપક મિશનને પ્રતિબિંબિત કરે છે, જે ભારતની સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓ અંગે બાળકોને શિક્ષિત કરવા પર કેન્દ્રિત કરતી વિવિધ પહેલો નિયમિત રીતે હાથ ધરે છે.

આ અગાઉ ગીતા જયંતિના અવસરે ફાઉન્ડેશને વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા ની કોપી ભેટ આપી હતી અને હનુમાન જયંતિ પર હનુમાન ચાલીસાની પુસ્તિકા વિતરણ કર્યું હતું. થોડા મહિનાઓ પહેલા ગૌરી પૂજાના અવસરે, ફાઉન્ડેશને પરંપરાગત પ્રથાઓ સાથે પોષણ સહાય જોડીને ૩૮૪ નાની બાળાઓને ડ્રાય ફ્રૂટ્સના બોક્સનું વિતરણ કર્યું હતું.

==♦♦♦♦♦♦==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here